કેન્દ્ર પાસે બે મજલાનું મકાન છે. નીચેના મજલા પર સંગ્રહાલય આવેલું છે. ઉપરાંત 85 વ્યક્તિઓને સમાવી શકે તેવો વિજાણુ સાધનોથી સજ્જ સભાખંડ પણ છે. ઉપરના મજલા પર કચેરી તેમ જ 13500 પુસ્તકો ધરાવતું ગ્રંથાલય અને 15 કમ્પ્યુટર ધરાવતી કમ્પ્યુટરશાળા છે.
અનુરૂપ વિષયોને લગતા પુસ્તકો અને સામાયિકોથી સુસજ્જ પુસ્તકાલય છે. આદિજાતિ, નૃવંશશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, કળા, હસ્તકળા જેવા વિષયો ઉપર આધારિત પુસ્તકો અને અહેવાલોથી સમૃદ્ધ પુસ્તકાલય છે. આ પુસ્તકોનો ઉપયોગ સંશોધકો, સરકારી અધિકારીઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કેન્દ્રના સેવકો કરે છે. ઈન્ટરનેટ જોડાણ સહિતની કમ્પ્યુટર પ્રયોગશાળા પણ છે. જ્યાં 15 કમ્પ્યુટર રહેલા છે.
ગૂજરાત વિદ્યાપીઠની વેબસાઈટ ઉપર સંચાલિત પ્રવૃત્તિઓ અને માહિતી સચવાય છે.