આયોજન
આ સંસ્થા રાજ્ય સરકારને આયોજન સંબંધિત આપૂર્તિ ઉપલબ્ધ કરવા માટે કાર્યરત છે.
મોજણી
આદિજાતિઓને લગતી તાકીદની સમસ્યાઓ અંગેની મોજણી કરવામાં આવે છે.
અમલ
સંશોધન અને મોજણી આધારિત નીતિ-આયોજન, નીતિઓ અમલની પદ્ધતિ.
માર્ગદર્શન
સંબંધિત વિષયો પર સંશોધન આધારિત મૂલ્યાંકન દ્વારા સંશોધકોને અને આયોજકોને માર્ગદર્શન અપાય છે.
અભ્યાસ
સંસ્થા વિવિધ વિષયોના અભ્યાસ પર આધારિત અભ્યાસ અહેવાલો પ્રસિદ્ધ કરે છે.
પુસ્તકો
પ્રકાશનો – સામાયિકો - 'આદિવાસી ગુજરાત' તથા પુસ્તકોના પ્રકાશન માટેની સહાયક સામગ્રી.
તાલીમ
આદિવાસી વિસ્તારોમાં કાર્ય કરતા જુદી જુદી કક્ષાના કર્મચારી/અધિકારીને આવશ્યક તાલીમનું પ્રદાન.
બિનસરકારી સંગઠનો
આદિજાતિ વિસ્તારોમાં કાર્ય કરતા બિનસરકારી સંગઠનો અને તેમના કાર્યકરોને તાલીમનું કાર્ય.
જોડાણ
સંબંધિત વિષયો માટે સંસ્થા અથવા અન્ય સંસ્થા દ્વારા યોજાતા પરિસંવાદ/કાર્યશાળા/પરિષદ/જ્ઞાનસત્રમાં ભાગીદારી વડે આદિજાતિ અને વિશ્વ સાથેની સંપર્ક શૃંખલા જાળવી રાખવામાં આવે છે.
પ્રકાશનો
સંસ્થાના પુસ્તકાલયનો સતત વિકાસ કરવામાં આવે છે.
આદિવાસી સંગ્રહાલય
આદિજાતિઓનો પરિચય કરાવતું સંગ્રહાલય સંસ્થાનું આગવું આકર્ષણ છે, જેનો સતત વિકાસ કરાય છે.