સંશોધન
સંશોધનમાં મુખ્ય ઝોક આદિવાસી ગામમાં સંગઠન, વસતિ વિષયક લાક્ષણિકતા, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ, સામાજિક દરજ્જો અને સ્તરીકરણ, અનુસૂચિત જનજાતિઓની ઓળખ, આદિવાસીઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય સમુદાયોની આર્થિક સામાજિક સ્થિતિ પર વિકાસ કાર્યક્રમોની અસરોનું વિષ્લેષણ વગેરે પર આપવામાં આવે છે. સંશોધનોનાં તારણોનો ઉપયોગ અનુસૂચિત જનજાતિઓ માટે વિકાસ અંગેની યોજનાનું ઘડતર કરવા ઉપરાંત તાલીમ કાર્યક્રમોની સામગ્રી અને ગુણવત્તાને સમૃદ્ધ બનાવવા માટે કરવામાં આવે છે. કેટલાક અભ્યાસોનાં તારણો આદિમ જૂથો અને લઘુ-પ્રાયોજના હેઠળ છૂટાછવાયા વસતા આદિવાસી પરિવારો માટે યોજનાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.